Wednesday, November 24, 2010

‎"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

હું રોજ પુછુ એક સવાલ મારી આત્મા ને ,
કે મારું કોણ થયું આ સ્વાર્થી વિશ્વ માં ?
તો એક દિવસ મારી આત્મા મને પૂછે ,
કે આ જગ માં તું કોનો થયો ?

અચરજ માં પડી ગયો આ પ્રશ્ન થી હું !
માંગુ છુ હું સૌ થી ! આશા બાંધી છે સૌ થી !
પણ કર્યું શું મેં બીજા માટે આજ સુધી ?

જવાબ માં કોઈ ઉત્તર નાં મળે !
જીંદગી માં ફક્ત દેખાળ કર્યો !
પોતાના સ્વાર્થ ખાતર રિશ્તા બાંધ્યા!
પોતાનો અહંકાર જાળવવા રીશ્તાઓ તોડ્યા !
પળ-પળ દંભ કર્યો !

ત્યારે સંત કબીર ની પંક્તિ આવી યાદ મને  ,
મારું-મારું કહી ને શું મળ્યું મને ?
"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

Wednesday, November 17, 2010

હિંસા નાં ત્યોહાર

"તે જીવનનો નાશ કરવાનો આપણને કોઈ અધિકાર નથી , જેને આપવાની શક્તિ નાં હોય !"

જીવ છે એના માં પણ ,
દર્દ થાય એને પણ ,
ધૃજી ઉઠે છે એનું શરીર ,
જ્યારે મૌત સામે દેખાય છે !

આંખ થી વહે છે આંસુ !
પણ એ અબોલ પશુ શું કરે ?
તડફડે એના કૈદ માં,
બીજું કંઈ નાં કરી શકે !

કોઈ મારે તમને થપ્પડ ,
તો તમે સામે બે મારો !
પણ એ મુક પશુ ,
કંઈ નાં કહી શકે , ફક્ત રડી શકે !

શું જમાનો છે આ ! 
જ્યાં ધોવાય ગઈ  કરુણતા !
જ્યાં આનંદ આવે , હત્યા માં !
ત્યોહારો ઉજવાય , લોઈ ની નદિયોં માં!

એટલોજ શોખ છે "બલી" નો ,
તો આપો પોતાના અહંકાર ની બલી !,
આપો પોતાના ક્રોધ ની બલી ,!
આપો પોતાની માયા ની બલી,!
આપો અજ્ઞાનતા ની બલી !
નાં! પણ તમે તો આપશો મુક પશુઓ ની બલી!

કોઈ ને મારતા પેહલા , સૌ વાર વિચારજો!
એ જીવ પણ કોઈ ની સંતાન છે !
એ જીવ પણ કોઈ ની માં છે !
એ જીવ માં પણ જીવ છે !

Copyright: Arpit Shah

Thursday, November 11, 2010

દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું ક્યાં જાય છે ?

Poem by an unknown Poet.....but an excellent one!!


દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું  ક્યાં જાય  છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .

ના વ્યવહાર સચવાય છે ,ના તહેવાર સચવાય છે ,
દિવાળી હોય કે હોળી, બધું ઓફીસ માંજ ઉજવાય છે .

આ બધું તો ઠીક હતું, પણ હદ્દ તો ત્યાં થાય છે,
લગન ની મળે કંકોતરી,ત્યાં શ્રીમંત માં પણ માંડ જવાય છે .

પાંચ આંકડાના પગાર છે ,પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે ,
પત્ની નો ફોને ૨ મિનીટ માં કાપીએ છે ,પણ  client નો  કોલ ક્યાં કપાય છે ?

Phonebook ભરી છે મિત્રો થી, પણ કોઈના એ ઘરે ક્યાં જવાય છે,
હવે તો ઘર ના પ્રસંગો પણ  Half day માં ઉજવાય છે .

બદલાતા આ પ્રવાહ માં,આપના સંસ્કાર ધોવાય છે,
આવનારી પેઢી પૂછશે,સંસ્કૃતિ કોને કહેવાય છે .

એક વાર તો  દિલ ને સાંભળો , બાકી મન તો કાયમ મુનજાય છે.
ચાલો જલ્દી નિર્ણય લઈએ, મને હજુય સમય બાકી દેખાય છે .

દિલ પૂછે છે મારું ,અરે દોસ્ત ! તું  ક્યાં જાય  છે ?
જરાક તો નજર નાખ,સામે કબર દેખાય છે .

Thursday, November 4, 2010

અમાવસ્યા

અંધકાર દુર કરવા ,દિપક ઘણા પ્રગટાવ્યા ,
પણ હૃદય ના અંધકાર કેવી રીતે ઉજાળવા ?

ઘુટન મેહસૂસ કરે છે મન મૂંઝવણ માં,
ક્યારે થાશે અંતર નાં અજવાળા ?

ગુંજી રહ્યું છે ગગન , હંસી નાં રણકાર માં ,
એમાં ક્યાં સંભળાય , અવાજ રુદન નાં ?

મિષ્ટાન થી મીઠા થાય રહ્યા છે મુખ સૌ ના ,
એમાં એક હલકી કડવાહટ લાગે ક્યાં ?

ઉજવાઈ રહ્યા છે , પર્વ સમૃદ્ધિ નાં ,
પણ ખોણે પડેલી દરિદ્રતા દેખાય ક્યાં ?

Copyright : Arpit Shah