Wednesday, November 24, 2010

‎"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

હું રોજ પુછુ એક સવાલ મારી આત્મા ને ,
કે મારું કોણ થયું આ સ્વાર્થી વિશ્વ માં ?
તો એક દિવસ મારી આત્મા મને પૂછે ,
કે આ જગ માં તું કોનો થયો ?

અચરજ માં પડી ગયો આ પ્રશ્ન થી હું !
માંગુ છુ હું સૌ થી ! આશા બાંધી છે સૌ થી !
પણ કર્યું શું મેં બીજા માટે આજ સુધી ?

જવાબ માં કોઈ ઉત્તર નાં મળે !
જીંદગી માં ફક્ત દેખાળ કર્યો !
પોતાના સ્વાર્થ ખાતર રિશ્તા બાંધ્યા!
પોતાનો અહંકાર જાળવવા રીશ્તાઓ તોડ્યા !
પળ-પળ દંભ કર્યો !

ત્યારે સંત કબીર ની પંક્તિ આવી યાદ મને  ,
મારું-મારું કહી ને શું મળ્યું મને ?
"तू नहीं केरा, कोई नहीं तेरा, क्या करे मेरा-मेरा ?"

1 comment: