Thursday, November 4, 2010

અમાવસ્યા

અંધકાર દુર કરવા ,દિપક ઘણા પ્રગટાવ્યા ,
પણ હૃદય ના અંધકાર કેવી રીતે ઉજાળવા ?

ઘુટન મેહસૂસ કરે છે મન મૂંઝવણ માં,
ક્યારે થાશે અંતર નાં અજવાળા ?

ગુંજી રહ્યું છે ગગન , હંસી નાં રણકાર માં ,
એમાં ક્યાં સંભળાય , અવાજ રુદન નાં ?

મિષ્ટાન થી મીઠા થાય રહ્યા છે મુખ સૌ ના ,
એમાં એક હલકી કડવાહટ લાગે ક્યાં ?

ઉજવાઈ રહ્યા છે , પર્વ સમૃદ્ધિ નાં ,
પણ ખોણે પડેલી દરિદ્રતા દેખાય ક્યાં ?

Copyright : Arpit Shah

No comments:

Post a Comment